શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Vansda news : વાંસદા કન્યા શાળામાં મુખ્ય શિક્ષિકા નિવૃત્ત થતાં વિદાયમાન.
વાંસદા કન્યા શાળામાં મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરેશાબેન ધીરજસિંહ પરમારનો નિવૃત્ત સન્માન સમારંભ તા. ર ના રોજ મંગળવારે રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે રસીકલાલ સુરતી, હિતેશચંદ્ર સુરતી,પ્રધુમ્નસિંહ સોલંકી, વિરલભાઈ વ્યાસ, મહેન્દ્રસિંહ પરમાર, કેન્દ્રની તમામ શાળાના આચાર્યો અને શાળાના ભૂતપૂર્વ શિક્ષકો હાજર રહયા હતા. નિવૃત્ત થતા પરેશાબેનના કાર્યને બિરદાવ્યું અને સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું.
Comments
Post a Comment