Skip to main content

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

નવસારી જિલ્લાની ૬૫૫ શાળાનાં ૫૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો તા.૪થી પ્રારંભ.

 નવસારી જિલ્લાની ૬૫૫ શાળાનાં ૫૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો તા.૪થી પ્રારંભ.

ધોરણ-૩ થી ૫માં ૪૦ ગુણ અને ધોરણ-૬થી ૮માં ૮૦ ગુણની પરીક્ષા: ૨૩મીએ પૂરી થશે.

ચીખલી તાલુકાની ૧૭૭ શાળાના ૧૪૧૮૫ અને ખેરગામ તાલુકાની 52 પ્રાથમિક શાળાના ૪૩૩૧ સહિત નવસારી જિલ્લાની ૬૫૫ પ્રાથમિક શાળામાં ધોરણ-૩ થી ધોરણ-૮માં અભ્યાસ કરતા ૫૮૯૯૮ બાળકોની દ્વિતીય સંત્રાત પરીક્ષાનો ૪ એપ્રિલના રોજથી પ્રારંભ થશે જે ૨૩ એપ્રિલના રોજ પૂર્ણ થશે. અને તારીખ ૬ મે થી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. જૂન માસથી ૨૦૨૪-૨૦૨૫ના નવા શૈક્ષણિક સત્ર પ્રારંભ થશે.

ધોરણ-૩થી પમાં ૪૦ ગુણની પરીક્ષા યોજાશે, જ્યારે ધોરણ-૬થી ૮માં ૮૦ ગુણની પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૩થી ૮ ધોરણનાં બાળકો માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર દ્વિતીય સંત્રનો ડિસેમ્બર ૨૦૨૩થી લઈને માર્ચ ૨૦૨૩ સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.

જીસીઈઆરટીએ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ધોરણ-૩ થી ૫ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો સમય સવારે ૮:૦૦થી ૧૦:૦૦નો રહેશે. અને ૧૨ એપ્રિલને શુક્રવારના રોજ પૂર્ણ થશે. ધોરણ-૬ થી ૮ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો સમય સવારે ૮:૦૦થી ૧૧:૦૦નો રહેશે. અને ૨૩ એપ્રિલને મંગળવારના રોજ પૂર્ણ થશે. રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્રાંત પરીક્ષા તા. ૪-૪-૨૦૨૪થી તા. ૨૩-૪-૨૦૨૪ દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજાશે.

દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક ધોરણ : ૩થી ૫

તા. ૪-૪-૨૦૨૪ને ગુરુવારના રોજ ગુજરાતી, તા. ૫-૪- ર૦ર૪ ને શુક્રવારના રોજ ગણિત, તા. ૬-૪-૨૦૨૪ ને શનિવારના રોજ પર્યાવરણ, તા. ૮-૪-૨૦૨૪ને સોમવારના રોજ હિન્દી, તા. ૯-૪-૨૦૨૪ને મંગળવારના રોજ અંગ્રેજી, તા. ૧૨-૪- ર૦ર૪ને શુક્રવારના રોજ પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલુગુ સહિતના વિષયની પરીક્ષા યોજાશે.

દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક ધોરણ ૬થી ૮

તા. ૧૩-૪-૨૦૨૪ ને શનિવારના રોજ ગુજરાતી, તા. ૧૫-૪-૨૦૨૪ને સોમવારના રોજ ગણિત, તા. ૧૬-૪- ર૦૨૪ ને મંગળવારના રોજ હિન્દી, તા. ૧૮-૪-૨૦૨૪ને ગુરુવારના રોજ વિજ્ઞાન, તા. ૧૯-૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ અંગ્રેજી, તા. ર૦.૪- ૨૦૨૪ ને શનિવારના રોજ સામાજિક વિજ્ઞાન, તા. ૨૨-૪-૨૦૨૪ ને સોમવારના રોજ સંસ્કૃત, તા. ૨૩-૪-૨૦૨૪ ને મંગળવારના રોજ પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલુગુ સહિતના વિષયની પરીક્ષા યોજાશે.

Credit: sandesh news 

Comments

Popular posts from this blog

વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

  વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના સીંગાડ ગામની પ્રાથમિક શાળામાં સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષપદે વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર રમણભાઈ એલ. પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નવીનભાઈ એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાંસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પી. પટેલ, ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી. પટેલ, કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઇ બી. ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામ સેવામંડળ વિજયભાઈ માહલા, વાંસદા તાલુકાના સક્રિય આગેવાન રાકેશભાઈ શર્માનો સમાવેશ થતો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન વી. પટેલ, આગેવાનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ અશ્વિનભાઇ પી. પટેલ, ગામના સામાજિક આગેવાન વિજયભાઈ આર. પટેલ, શાળાના આચાર્ય અને શાળા પરિવાર, એસ. એમ.સી.ના સભ્યો તથા શાળાના તમામ હિતેચ્છુઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રણ  અને પૂર્વ તૈયારી રૂપે બાળકો દ્વારા તૈયાર કરાયેલ અદ્યતન વિડિયો.

પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો.

          પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો. ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબ હાલ ડાંગ જિલ્લામાં નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારા ખાતે નાયબ કલેકટર અને ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત ચિંતન વૈષ્ણવે રાજ્યના માળિયા મિયાણા, હળવદ, મહેસાણા, ડાંગ, પાલનપુર, દ્વારકા, જામ ખંભાળિયા સહિતના તાલુકાઓમાં પણ મામલતદાર તરીકે મહત્વની કામગીરી કરી હતી.  ત્યાં તેમણે એક પ્રામાણિક અને ઈમાનદાર અઘિકારી તરીકે  "સિંઘમ અધિકારીની" છાપ છોડી છે. અને આજ દિન સુધી તેમના પર ડાઘ લાગ્યો નથી. અને તેમણે ઈમાનદારી  અને પ્રમાણિકતા માટે આકરી કસોટીઓમાંથી પણ પસાર થવું પડ્યું હતું. હાલ પણ એજ છાપ ધરાવી  રાખી સાપુતારાના વિસ્તારનાં આદિવાસી લોકોના દિલમાં વસવાટ કર્યો છે. આજ પણ તેઓ રાજકીય દબાવમાં આવ્યા વગર નિયમ અનુસાર  પ્રમાણિકપણે ફરજ બજાવે છે. યુવાવર્ગમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય છે. સાથે તેઓ યુવાવર્ગનાં  આદર્શ ગણાય છે. તેઓ સારા લેખક પણ છે. તેમણે ગુરુખિલ્લી, તેજોવધ અને લક્ષ્યવેધ જેવા સારા પુસ્તકો લખ્યાં છે. તેમના હસ્તે લખાયેલ લેખ અહીં પ્રસ્તુત છે....

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

            Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વ...