Skip to main content

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

  

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા.

ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે.

જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી.

જ્ઞાનકુંજ પરિચય

જ્ઞાનકુંજ એ ટેક્નોલોજી ટૂલ્સની મદદથી વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયા અને શિક્ષણ-અધ્યયન પ્રક્રિયાને વધારવા માટેનો શાળા ડિજિટાઇઝેશન પ્રોગ્રામ છે. તેનો હેતુ સૉફટવેર અને હાર્ડવેરને સમાવિષ્ટ ઇન્ટરેક્ટિવ સિસ્ટમની મદદથી સ્કૂલ ડિજિટાઇઝેશન દ્વારા શિક્ષણ-અધ્યયન અને મૂલ્યાંકનને મજબૂત બનાવવાનો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં અમલમાં મુકવામાં આવશે.

ઉદ્દેશ્ય

શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અધ્યયન પ્રક્રિયામાં પ્રગતિ દ્વારા વર્ગખંડની ક્રિયા પ્રતિક્રિયાને.

વપારવા માટે ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણ, અધ્યયન અને મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવી.

માધ્યમ તરીકે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ગખંડમાં જ અભ્યાસક્રમના દરેક એકમને સમજવામાં સરળતા માટે.

આ મોડેલ હેઠળ વર્ગખંડમાં જરૂરી સુવિધાઓ:

મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પેકેજ શાળાની સ્થાનિક પરિસ્થિતિઓ અને વપરાશ સ્તર અને ઓપરેશનલ સંદર્ભને ધ્યાનમાં લઈને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ મોડેલ હેઠળ, શાળાના વર્ગોમાં નીચે મુજબની સુવિધાઓ હશે.

ઇન્ટરેક્ટિવ પેનલ

લેપટોપ

ઇન્ટરેક્ટિવ પેનલ માટે જરૂરી વીજળીકરણ

ઉપરોક્ત સુવિધાઓના સંકલિત ઉપયોગ દ્વારા સરકારી શાળાખોમાં શિક્ષકો નીચેના કાર્યો કરી શકશે.

સૂચિત ઉકેલને એકીકૃત કરીને શિક્ષણ કાર્યને અરસપરસ બનાવવામાં આવે છે.

શિક્ષકો અભ્યાસક્રમની ઉન્નત ડિલિવરી માટે તમામ શિક્ષણશાસ્ત્રની યુક્તિઓ (કરો. વ્યાખ્યા ડેમો મૂલ્યાંકન) નો અમલ કરી શકશે.

ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ બેજ્યુકેશન (GCSE) દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઈ-સામગ્રીનો ઉપયોગ અને ઈ-ક્લાસ પ્રોજેકટ હેઠળ વિડિયો કન્ટેન્ટ ટેલિકાસ્ટ; શિક્ષકો-વિધાર્થીઓના આરામદાયક સ્તરે.

તમામ શૈક્ષણિક સામગ્રીઓ, ફ્રીવેર ઓપન સોર્સ સંસાધનો ઓનલાઈન સંસાધનો, શિક્ષકો દ્વારા બનાવેલ / તૈયાર કરેલ ઈ-કન્ટેન્ટ વગેરેના ઉપયોગનું અન્વેષણ કરવું.

ઈ-સામગ્રી, ઑડિઓ વિઝ્યુઅલ્સ, ડિજિટલ પાઠ્યપુસ્તકો દ્વારા શૈક્ષણિક વિતરણ જે ઑફલાઇન (સ્થાનિક હોસ્ટ), ઑનલાઇન (ક્લાઉડ આધારિત) તેમજ સ્થાનિક લેપટોપ પર ઍક્સેસ કરી શકાય.

ઉકેલ વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી ચાલતા જ્ઞાન સાથે અભ્યાસક્રમને શીખવા અને સમજવા માટે આકર્ષિત કરશે. આ સોલ્યુશન શિક્ષકોને પેનલ પર વિડિયો પ્રવચનો રેકોર્ડ કરીને બાળકોની જરૂરિયાત મુજબ.

ઓનલાઈન સંસાધનો તૈયાર કરીને સીમલેસ સોલ્યુશનનો ઉપયોગ કરવા માટે પણ આકર્ષિત કરશે. દરેક વ્યક્તિના શિક્ષણ સ્તરને હાંસલ કરવા માટે બાળકોની જરૂરિયાતને સંબોધવા માટે શૈક્ષણિક વિતરણ માટે નવીનતાઓ કરવા શિક્ષકોને પ્રેરણા આપવી. જેવી બાબતોનો સમાવેશ થાય છે.


આ શૈક્ષણિક તાલીમની  જિલ્લા એમ.આઇ.એસ. કો-ઓર્ડીનેટર તુષારભાઈ પટેલ સાહેબ દ્વારા તાલીમ વર્ગની મુલાકાત લેવામાં આવી હતી. 

ખેરગામ બી.આર.સી. વિજયભાઈ, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ સહિત ૬૮ જ્ઞાનકુંજ તાલીમાર્થીઓ જોડાયા હતા. 

Comments

Popular posts from this blog

Navsari : રાજકોટ ગેમીંગ ઝોનમાં આગથી મોંતની દુઃખદ ઘટનાને લઈ નવસારી જિલ્લાની તમામ ગેમિંગ જોનમાં ચકાસણી શરૂ.

   Navsari : રાજકોટ ગેમીંગ ઝોનમાં આગથી મોંતની દુઃખદ ઘટનાને લઈ નવસારી જિલ્લાની તમામ ગેમિંગ જોનમાં ચકાસણી શરૂ. નવસારી જીલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રીથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૨૫/૦૫/૨૦૨૪ ના પત્ર અન્વયે રાજકોટ શહેરના ટી.આર.પી. મોલ ખાતેના ગેમીંગ ઝોનમાં આકસ્મિક આગ લાગતા બાળકો સહિત કુલ ૨૮ જેટલા વ્યકિતઓનું દુઃખદ મૃત્યુ થવા પામેલ છે. આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી નવસારી જિલ્લામાં જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેની સૂચનાથી નવસારી જિલ્લામાં જયાં જયાં ગેમ ઝોનનું સંચાલન કરવામાં આવતું હોય તે સંબંધમાં તાત્કાલિક ધોરણે નીચે મુજબના મુદ્દાઓની ચકાસણી કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં  ૧. ગેમીંગ ઝોનની મંજૂરી આપવામાં આવેલ છે કે કેમ,  ૨. ગેમીંગ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાને લેવામાં આવે છે,  ૩. ગેમીંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજૂરી મેળવવામાં છે કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવેલ કે કેમ,  ૪. આ સંબંધમાં ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવેલ...

ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

 ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ. તારીખ:૦૬-૦૭-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રથમ ધોરણ ૮નાં પાંચ ઉમેદવારોએ મહામંત્રીની ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા. જેમાં પાંચે ઉમેદવારો માટે ટેકેદારોએ પણ ફોર્મ ભરી ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયામાં અનુસરવાની તમામ બાબતો અહીં અમલ કરવામાં આવ્યો હતો. પોલિંગ સ્ટાફ, ઇવીએમ મશીન,મતદાર કુટીર, સૂચનો બેનર, એવિલોપ્ય શાહીથી નિશાન કરવું, મતદાર યાદીમાં નિશાન, જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી બાળકોને આખી ચૂંટણી પ્રક્રિયાથી માહીતગાર થાય. મતદાન સ્ટાફ તરીકે ધોરણ 6થી8નાં વર્ગશિક્ષકો શીતલબેન પટેલ, વૈશાલીબેન પટેલ અને પ્રિયંકા દેસાઈએ ભાગ ભજવ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ મતદાન કલોઝ કરી પરિણામ મોબાઈલ ઇવીએમ મશીન પર ઉમેદવારોને બતાવી દરેકને કેટલા મત મળ્યા તે બતાવવામાં આવ્યું હતું. જેમાં શાળાની દિકરી પરી પટેલને 18 મત મળતાં તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીની ભારતીય સનદી સેવામાં પસંદગી :

   ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીની ભારતીય સનદી સેવામાં પસંદગી : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૩: ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી સહિત અન્ય ૪ ગુજરાત વહીવટી સેવાના ઉચ્ચ અધિકારીઓની ભારતીય વહીવટી સેવામાં પસંદગી કરવામાં આવી છે. ભારતીય વહીવટી સેવાના ૧૯૫૪ના ભરતીના નિયમો મુજબ ખાલી પડેલ જગ્યાઓમાં ગુજરાત સરકારનાં કુલ ૫ જેમાં (૧) શ્રી બી.જે.પટેલ, (૨) શ્રીમતી કુમુદબેન યાજ્ઞિક, (૩) શ્રી એ.બી.પાંડોર, (૪) શ્રી બી.બી.ચૌધરી, અને (૫) શ્રી બી.સી.પરમારની ગુજરાત કેડરનાં સનદી અધિકારી તરીકે  પસંદગી કરવામાં આવી છે.  જેમાં હાલ ડાંગ જિલ્લામાં અધિક નિવાસી કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલાં શ્રી બી.બી.ચૌધરીની પણ પસંદગી થતાં, જિલ્લા વહીવટી તંત્રનાં વડા એવા કલેકટર શ્રી મહેશ પટેલ સહિતનાં અધિકારીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.