Skip to main content

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

  

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા.

ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે.

જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી.

જ્ઞાનકુંજ પરિચય

જ્ઞાનકુંજ એ ટેક્નોલોજી ટૂલ્સની મદદથી વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયા અને શિક્ષણ-અધ્યયન પ્રક્રિયાને વધારવા માટેનો શાળા ડિજિટાઇઝેશન પ્રોગ્રામ છે. તેનો હેતુ સૉફટવેર અને હાર્ડવેરને સમાવિષ્ટ ઇન્ટરેક્ટિવ સિસ્ટમની મદદથી સ્કૂલ ડિજિટાઇઝેશન દ્વારા શિક્ષણ-અધ્યયન અને મૂલ્યાંકનને મજબૂત બનાવવાનો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં અમલમાં મુકવામાં આવશે.

ઉદ્દેશ્ય

શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અધ્યયન પ્રક્રિયામાં પ્રગતિ દ્વારા વર્ગખંડની ક્રિયા પ્રતિક્રિયાને.

વપારવા માટે ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણ, અધ્યયન અને મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવી.

માધ્યમ તરીકે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ગખંડમાં જ અભ્યાસક્રમના દરેક એકમને સમજવામાં સરળતા માટે.

આ મોડેલ હેઠળ વર્ગખંડમાં જરૂરી સુવિધાઓ:

મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પેકેજ શાળાની સ્થાનિક પરિસ્થિતિઓ અને વપરાશ સ્તર અને ઓપરેશનલ સંદર્ભને ધ્યાનમાં લઈને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ મોડેલ હેઠળ, શાળાના વર્ગોમાં નીચે મુજબની સુવિધાઓ હશે.

ઇન્ટરેક્ટિવ પેનલ

લેપટોપ

ઇન્ટરેક્ટિવ પેનલ માટે જરૂરી વીજળીકરણ

ઉપરોક્ત સુવિધાઓના સંકલિત ઉપયોગ દ્વારા સરકારી શાળાખોમાં શિક્ષકો નીચેના કાર્યો કરી શકશે.

સૂચિત ઉકેલને એકીકૃત કરીને શિક્ષણ કાર્યને અરસપરસ બનાવવામાં આવે છે.

શિક્ષકો અભ્યાસક્રમની ઉન્નત ડિલિવરી માટે તમામ શિક્ષણશાસ્ત્રની યુક્તિઓ (કરો. વ્યાખ્યા ડેમો મૂલ્યાંકન) નો અમલ કરી શકશે.

ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ બેજ્યુકેશન (GCSE) દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઈ-સામગ્રીનો ઉપયોગ અને ઈ-ક્લાસ પ્રોજેકટ હેઠળ વિડિયો કન્ટેન્ટ ટેલિકાસ્ટ; શિક્ષકો-વિધાર્થીઓના આરામદાયક સ્તરે.

તમામ શૈક્ષણિક સામગ્રીઓ, ફ્રીવેર ઓપન સોર્સ સંસાધનો ઓનલાઈન સંસાધનો, શિક્ષકો દ્વારા બનાવેલ / તૈયાર કરેલ ઈ-કન્ટેન્ટ વગેરેના ઉપયોગનું અન્વેષણ કરવું.

ઈ-સામગ્રી, ઑડિઓ વિઝ્યુઅલ્સ, ડિજિટલ પાઠ્યપુસ્તકો દ્વારા શૈક્ષણિક વિતરણ જે ઑફલાઇન (સ્થાનિક હોસ્ટ), ઑનલાઇન (ક્લાઉડ આધારિત) તેમજ સ્થાનિક લેપટોપ પર ઍક્સેસ કરી શકાય.

ઉકેલ વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી ચાલતા જ્ઞાન સાથે અભ્યાસક્રમને શીખવા અને સમજવા માટે આકર્ષિત કરશે. આ સોલ્યુશન શિક્ષકોને પેનલ પર વિડિયો પ્રવચનો રેકોર્ડ કરીને બાળકોની જરૂરિયાત મુજબ.

ઓનલાઈન સંસાધનો તૈયાર કરીને સીમલેસ સોલ્યુશનનો ઉપયોગ કરવા માટે પણ આકર્ષિત કરશે. દરેક વ્યક્તિના શિક્ષણ સ્તરને હાંસલ કરવા માટે બાળકોની જરૂરિયાતને સંબોધવા માટે શૈક્ષણિક વિતરણ માટે નવીનતાઓ કરવા શિક્ષકોને પ્રેરણા આપવી. જેવી બાબતોનો સમાવેશ થાય છે.


આ શૈક્ષણિક તાલીમની  જિલ્લા એમ.આઇ.એસ. કો-ઓર્ડીનેટર તુષારભાઈ પટેલ સાહેબ દ્વારા તાલીમ વર્ગની મુલાકાત લેવામાં આવી હતી. 

ખેરગામ બી.આર.સી. વિજયભાઈ, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ સહિત ૬૮ જ્ઞાનકુંજ તાલીમાર્થીઓ જોડાયા હતા. 

Comments

Popular posts from this blog

Navsari: નવસારી જિલ્લાને મળી ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટની ભેટ.

  Navsari: નવસારી જિલ્લાને મળી ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટની ભેટ. મોબાઈલ વેટરનરી યુનિટનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ. ચિખલી તાલુકાના હોન્ડ ગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે. ( નવસારી :શુક્રવાર ) નવસારી જિલ્લા પંચાયતના પ્રાગણમાંથી ચીખલી તાલુકાના હોન્ડ ગામ માટે આજ રોજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડમાંથી મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતું પશુ દવાખાનું)નું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશ ભાઈ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પશુ સારવાર માટે ભારત સરકારની યોજના હેઠળ હાલ મોબાઈલ વેટરીનરી યુનિટ કાર્યરત છે. જેને અનુલક્ષીને  ગુજરાતના નવસારી જિલ્લા સહિત અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા, ભરુચ અને મહીસાગર જિલ્લામાં નવા મોબાઈલ વેટરીનરી યુનિટની ભેટ અપાઈ રહી છે.  નોંધનિય છે કે, આ નવા મોબાઇલ વેટરનરી યુનિટ હોન્ડ ગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે.  નવસારી જિલ્લામાં ૧૧ મોબાઈલ વેટરનરી યુનિટની સુવિધા ઉપલબ્ધ છે. આજરોજ લોકાર્પણ થયેલ આ મોબાઇલ વેટરનરી યુનિટ જિલ્લાની ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટ છે.  આ પ્રસં...

Navsari : નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

         Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

  વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના સીંગાડ ગામની પ્રાથમિક શાળામાં સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષપદે વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર રમણભાઈ એલ. પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નવીનભાઈ એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાંસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પી. પટેલ, ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી. પટેલ, કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઇ બી. ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામ સેવામંડળ વિજયભાઈ માહલા, વાંસદા તાલુકાના સક્રિય આગેવાન રાકેશભાઈ શર્માનો સમાવેશ થતો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન વી. પટેલ, આગેવાનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ અશ્વિનભાઇ પી. પટેલ, ગામના સામાજિક આગેવાન વિજયભાઈ આર. પટેલ, શાળાના આચાર્ય અને શાળા પરિવાર, એસ. એમ.સી.ના સભ્યો તથા શાળાના તમામ હિતેચ્છુઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રણ  અને પૂર્વ તૈયારી રૂપે બાળકો દ્વારા તૈયાર કરાયેલ અદ્યતન વિડિયો.