Skip to main content

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Dang:વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં "પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમ યોજાયો.

 

Dang:વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં "પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમ યોજાયો.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૯: પ્રાકૃતિક કૃષિ થકી દેશનાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્ન્ત બને, તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને, અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે "પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રંસગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના હેઠળ રાજ્ય સરકાર પ્રતિ માસ રૂપિયા ૯૦૦/- પ્રમાણે ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય કરે છે. જેથી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી થઈ શકે, ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા વધે. ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય, નહીવત ઉત્પાદન ખર્ચ થાય, વધારે ભાવ મળે, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય.


વર્ષ-૨૦૨૨-૨૩ દરમ્યાન કુલ ૩૦૨૮ ખેડુતોને આ યોજનાનો લાભ અપાયો છે. અત્યાર સુધીમાં આ તમામ ગાય પાલક ખેડુતોને માર્ચ-૨૩ સુધીના ૧૨ મહિનાના કુલ રુપિયા ૩૩૨.૮૫ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. વર્ષ-૨૦૨૩-૨૪ દરમ્યાન કુલ ૩૧૪૧ ખેડુતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ તમામ ગાય પાલક ખેડૂતોને ઓક્ટોબર-૨૪ સુધીના ૬ મહિનાના કુલ રુપિયા ૧૯૧.૫૩ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે.


પ્રાકૃતિક ડાંગ અભિયાનને પરિપુર્ણ કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાઓ લીધા છે. શરૂઆતના બે વર્ષ દરમ્યાન ખેડુતોને થોડુ પાક ઉત્પાદન ઘટે છે, જેથી ખેડુતને આર્થિક નુકસાન ના થાય તે માટે પ્રતિ હેક્ટર ૫૦૦૦ રૂપિયાની સહાય ખરીફ સીઝનમાં કરવામાં આવે છે, અને તે જ જમીનમાં ફરીથી રવિ કે ઉનાળું પાક લેવામાં આવે તો ફરીથી પ્રતિ હેક્ટર ૫૦૦૦ રૂપિયાની સહાય ખેડુતને તેના બેંક ખાતામાં વળતર સ્વરૂપે ચુકવવામાં આવે છે. બીજા વર્ષે પણ આ ખેડુતોને પ્રતિ હેક્ટર ૩૦૦૦ રૂપિયા સહાય રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે.

વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન પ્રથમ વર્ષના ખરીફ અને રવિ સિઝનનાં ૧૩૪૮૦ ખેડુતોને કૂલ રુપિયા ૭૬૦.૪૪ લાખની સહાય ચુકવી દેવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ ના કુલ ૨૧૨૧ ખેડુતોને ફૂલ રુપિયા ૫૦૮.૪૮ લાખની સહાય તથા રવિ સીઝનના કુલ ૯૦૬૩ ખેડૂતોને રૂપિયા ૧૩૭.૫૫ લાખ મળી કુલ રૂપિયા ૬૪૬.૨૦ લાખની સહાય આપવામાં આવી છે. તેમ માહિતી આપતાં શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું.

રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વધારે વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે. રાસાયણિક ખાતરના કારણે કેન્સરની બીમારીઓ ફેલાઈ છે. રાસાયણિક ખાતર જમીન માટે ખુબ જ હાનિકારક છે. ત્યારે ડાંગ જિલ્લાનાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, જમીનને ફળદ્રુપ બનાવે તે જરૂરી છે.


શ્રી વિજયભાઈ પટેલે સરકારી યોજનાઓનો વ્યાપક પણે લાભ લેવા, તેમજ અન્ય લોકોને પણ સરકારી યોજનાની માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ ભારપૂર્વક આયુષ્યમાન કાર્ડ મેળવી લેવા ખેડૂતોને અપીલ પણ કરી હતી.

ડાંગની વર્ષોની પાણીની તરસ છીપાવતા રાજ્ય સરકારે ડાંગના ૨૬૯ ગામો માટેની રૂ.૮૬૬ કરોડની તાપી નદી આધારિત પાણી પુરવઠા યોજના મંજુર કરી છે તેમ જણાવી, ડાંગના લોકોને ડેમના નામે ગેરમાર્ગે દોરતા તત્વોને જાકારો આપવા, અને ડાંગના વહી જતા પાણીને નાના અને મધ્યમ કદના ડેમોના નિર્માણથી ડાંગમાં જ રોકી, ડાંગના લોકોની પાણીની જરૂરિયાત સંતોષવાની દિશામાં ડબલ એન્જીન સરકાર કાર્ય કરી રહી છે ત્યારે, પ્રજાજનોના હિત માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો.

ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામા આવ્યો છે. ત્યારે જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો બનાવી રાખવા સૌ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા સાથે જ પ્રાકૃતિક ખેતી માટે સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા ખેત, ઉત્પાદન, સહકાર, અને સિંચાઈ સમિતિનાં અધ્યક્ષ શ્રી હરિશભાઇ બચ્છાવે ઉપસ્થિત ખેડુતોને જણાવ્યુ હતુ.

આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટ શ્રી સંજયભાઈ ભગરીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાકૃતિક ખેતીની સરકારી યોજનાકીય માહિતી આપી હતી.

વઘઈ ખાતે યોજાયેલ "પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમમાં કૃષિ તજજ્ઞો તેમજ પ્રગતિશીલ ખેડુતોએ પ્રાકૃતિક ખેતીની ઉપયોગીતા અને તેનુ મહત્વ સમજાવ્યુ હતુ.

આ પ્રસંગે વઘઈ તાલુકા સદસ્ય શ્રીમતી નેહાબેન પટેલ, ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, સામાજિક આગેવાન શ્રી સુભાષભાઈ ગાઇન, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદ પટેલ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

Comments

Popular posts from this blog

વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

  વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના સીંગાડ ગામની પ્રાથમિક શાળામાં સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષપદે વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર રમણભાઈ એલ. પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નવીનભાઈ એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાંસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પી. પટેલ, ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી. પટેલ, કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઇ બી. ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામ સેવામંડળ વિજયભાઈ માહલા, વાંસદા તાલુકાના સક્રિય આગેવાન રાકેશભાઈ શર્માનો સમાવેશ થતો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન વી. પટેલ, આગેવાનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ અશ્વિનભાઇ પી. પટેલ, ગામના સામાજિક આગેવાન વિજયભાઈ આર. પટેલ, શાળાના આચાર્ય અને શાળા પરિવાર, એસ. એમ.સી.ના સભ્યો તથા શાળાના તમામ હિતેચ્છુઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રણ  અને પૂર્વ તૈયારી રૂપે બાળકો દ્વારા તૈયાર કરાયેલ અદ્યતન વિડિયો.

પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો.

          પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો. ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબ હાલ ડાંગ જિલ્લામાં નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારા ખાતે નાયબ કલેકટર અને ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત ચિંતન વૈષ્ણવે રાજ્યના માળિયા મિયાણા, હળવદ, મહેસાણા, ડાંગ, પાલનપુર, દ્વારકા, જામ ખંભાળિયા સહિતના તાલુકાઓમાં પણ મામલતદાર તરીકે મહત્વની કામગીરી કરી હતી.  ત્યાં તેમણે એક પ્રામાણિક અને ઈમાનદાર અઘિકારી તરીકે  "સિંઘમ અધિકારીની" છાપ છોડી છે. અને આજ દિન સુધી તેમના પર ડાઘ લાગ્યો નથી. અને તેમણે ઈમાનદારી  અને પ્રમાણિકતા માટે આકરી કસોટીઓમાંથી પણ પસાર થવું પડ્યું હતું. હાલ પણ એજ છાપ ધરાવી  રાખી સાપુતારાના વિસ્તારનાં આદિવાસી લોકોના દિલમાં વસવાટ કર્યો છે. આજ પણ તેઓ રાજકીય દબાવમાં આવ્યા વગર નિયમ અનુસાર  પ્રમાણિકપણે ફરજ બજાવે છે. યુવાવર્ગમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય છે. સાથે તેઓ યુવાવર્ગનાં  આદર્શ ગણાય છે. તેઓ સારા લેખક પણ છે. તેમણે ગુરુખિલ્લી, તેજોવધ અને લક્ષ્યવેધ જેવા સારા પુસ્તકો લખ્યાં છે. તેમના હસ્તે લખાયેલ લેખ અહીં પ્રસ્તુત છે....

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

            Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વ...