શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Chikhli (Rumla): જાગૃતિ વિદ્યાલય રૂમલાના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો.
ધો.10 અને ધો.12 એટલે વિદ્યાર્થીજીવનના સૌથી મહત્વના વર્ષો. જીવનની દિશા નિર્ધારિત કરનારા આ મહત્વના પડાવને પાર કરનારા જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે તારીખ : ૦૪-૦૨-૨ ૦૨૪નાં દિને વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળકોને ખૂબ જ ઉત્તમ રીતે આગામી બૉર્ડ પરીક્ષાઓ આપવા માટે પ્રોત્સાહિત કર્યા તથા શાળા પરિવારને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા.
Comments
Post a Comment